- રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રશંસનીય કામગીરી સામે આવી
- ક્રિકેટરની પત્ની વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની કરી રહ્યા છે મદદ
- જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી
- અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી
કોરોનાની મહામારીને કારણે લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદ કરી રહ્યા છે. વાવાઝોડા તેમજ કોરોના અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી છે.
ગુજરાત રાજ્ય બે-બે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે જે આપણે સૌ જાણીએ છીએ થોડા દિવસ પહેલા જ વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું અને હાલ કોરોનાની મહામારી પણ યથાવત છે ત્યારે આવા સમયમાં સૌરાષ્ટ્રના જામનગર ખાતે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા ગરીબોની વ્હારે આવ્યા છે જેમના દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથેની આશરે 600 કીટ તૈયાર કરી વાવાઝોડા તેમજ કોરોના અસરગ્રસ્ત લોકોને 2 મહિના સુધી ચાલે તે રીતે કીટ વહેંચવામાં આવી છે જેના થકી રિવાબા જાડેજા દ્વારા અતિ સેવાકીય અને પ્રસંશનીય કામગીરી સામે આવી છે. આવા કપરા સમયમાં એક સામાન્ય નાગરિક રીતે તમામ અસરગ્રસ્ત લોકોની મદદની વ્હારે આવી એક અનેરું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે કે ગમે તે સમય હોય ગુજરાત અને ગુજરાતના લોકો કોઈ પણ મુશ્કેલી આવે તેઓ નમતા નથી અને એક બની એ મુશ્કેલીઓનો સામનો કરવા હંમેશા સજ્જ હોય છે.
કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતીયા લાઈવ ગુજરાત ન્યુઝ જામનગર