- અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક
- કૃષ્ણનગર ચાર રસ્તા પાસેના જ્વેલર્સમાં આઠ થી દસ અસમાજિક તત્વોએ મચાવ્યો આતંક
- તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ
- પોલીસે સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ શહેરમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. કૃષ્ણનગર ચાર રસ્તા પાસે જ્યોતિ ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં આઠ થી દસ લોકો લાકડીઓ સાથે ઘુસી આવ્યા હતા અને તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
ગુજરાતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અંગત અદાવત કે કોઈ અન્ય કારણે તોડફોડ, જાહેરમાં હુમલાઓ, માર મારવો જેવી ઘટનાઓ છાસવારે બનતી હોય છે ત્યારે આવો જ એ કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર ચાર રસ્તા પાસે બન્યો હતો. અહીં આવેલા જ્વેલર્સમાં કેટલાક અસામાજિક તત્વો લાકડી અને અન્ય હથિયાર લઈને ઘૂસ્યા હતા. અને આડેધડ તોડફોડ કરી હતી. જોકે, આ અંગે જ્વેલર્સ માલિકે તરત પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. તોડફોડની સમગ્ર ઘટના જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ આતંક મચાવ્યો છે. અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને કૃષ્ણ નગર ચાર રસ્તા પાસે આવેલ જ્યોતિ ગોલ્ડ પેલેસમાં ઘુસી ગયા હતા અને આતંક મચાવ્યો હતો. આરોપીઓએ જ્વેલર્સ માં તોડફોડ કરીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં ત્રણ કર્મચારીઓને માર પણ માર્યો હતો. દુકાનદાર નું કહેવું છે કે કેટલાક દિવસ અગાઉ કૃષ્ણનગર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જેની અદાવત રાખીને આ ગેંગ તે વિસ્તારમાં રહેતા નામના યુવકને મારવા માટે જવેલર્સમાં ઘૂસ્યા હતા. ધ્રુવ છેલ્લા ત્રણ વર્ષથી આ જ્વેલર્સમાં નોકરી કરે છે.
જો કે સદનસીબે કોઈ પણ પ્રકારનો મોટી જાનહાનિ જોવા મળી નથી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કે મહત્વની બાબત તો એ છે કે ઘર બજારની અંદર લગભગ 15 જેટલા અસામાજિક તત્વોનો આતંક નાગરિકોની સુરક્ષા પર સવાલ ઉભા કરી રહ્યા છે.જ્વેલર્સમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ સહિતની આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મેહુલ મિસ્ત્રી લાઈવ ગુજરાત ન્યુઝ અમદાવાદ