- મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક અવનવા ખુલાસા
- મનસુખ હત્યા કેસની તપાસ હવે મહારાષ્ટ્ર એટીએસના હાથમાં
- મનસુખ હિરેનની હત્યા પહેલા તેને સુંઘાડવામાં આવ્યું હતું ક્લોરોફોર્મ : એટીએસ
- હિરેનના ચહેરા પર મળી આવ્યા ઈજાના અનેક નિશાન
- મહારાષ્ટ્ર એટીએસએ દસ્તાવેજ અને પુરાવાને આધારે કર્યો ખુલાસો
એન્ટેલિયા કેસને લઇ એક તરફ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાઈ રહ્યું છે તો બીજી તરફ દિવસે ને દિવસે અવનવા ખુલાસા થઇ રહ્યા છે. મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ રીતે મળી આવી હતી . ત્યારબાદ 6 માર્ચના રોજ થાણેની ખાડીમાંથી શંકાસ્પદ રીતે મનસુખ હિરેનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે જ મનસુખ હિરેનની મોતના કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસ એ નવો ખુલાસો કર્યો છે. જેમાં એટીએસના મતે હિરેનની હત્યા પહેલા તેને ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ સાથે જ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે હિરેનના ચહેરા પર ઈજાના પણ અનેક નિશાન મળી આવ્યા હતા.


દિવસે ને દિવસે સંઘીન બની રહેલા એન્ટેલિયા કેસને લઇ મહારાષ્ટ્ર એટીએસ એ મનસુખ હિરેનના હત્યા મામલે ફરી એક નવો ખુલાસો કર્યો છે. તાજેતરમાં આ કેસની તપાસ કરી રહેલી મહારાષ્ટ્ર એટીએસના મતે હિરેનની હત્યા પહેલા તેને ક્લોરોફોર્મ સુંઘાડવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી.સાથે જ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પ્રમાણે હત્યા પહેલા મનસુખ હિરેનના ચહેરા પર ઈજાના પણ અનેક નિશાન મળી આવ્યા હતા. વધુ જાણકારી અનુસાર મહારાષ્ટ્ર એટીએસએ આ મામલે આરોપી પૂર્વ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને નરેશ ગૌરની પણ પુછપરછ કરી હતી સાથે જ હિરેનની હત્યા કઈ રીતે થઈ તેવો સવાલ કર્યો હતો.તેમજ હત્યા ના દિવસ દરમિયાન સચિન વજેનું લોકેશન શોધવા મોબાઈલ ટાવર અને આઈપી એડ્રેસની તપાસ કરવામાં આવી હતી. તદ્દઉપરાંત ફોરેન્સિક ટીમે અનેક ગાડીઓની પણ તપાસ કરી હતી. આ સાથે જ પોસ્ટમોર્ટમ રિપોર્ટ ના ખુલાસા દરમિયાન હત્યા પહેલા મનસુખ હિરેનના ચહેરા પરના ડાબા હિસ્સાને અનેક ઈજા પહોંચી હતી. આ સાથે ખાસ કરીને ખોપડી માં પણ અનેક ઘા ના નિશાન પણ મળી આવ્યા છે. આ તમામ પુરાવાઓ ને ધ્યાને રાખતા એટીએસના અધિકારીઓને એવી શંકા છે કે,
જ્યારે આરોપીઓ બળજબરીપૂર્વક તેના નાક પર ક્લોરોફોર્મ સુંઘાડી રહ્યા હતા તે સમયે આ તમામ ઈજા પહોંચી હશે. એક અહેવાલ પ્રમાણે ક્લોરોફોર્મના કારણે હિરેન બેભાન થઈ ગયો હશે અને બાદમાં કથિત રીતે તેની હત્યા કરી દેવામાં આવી હશે. આ તમામ પુરાવા સાથે એક મહત્વપૂર્ણ વાત પણ સામે આવી છે જેમાં મનસુખ હિરેનની લાશ મળી આવી તે સમયે તેના માસ્ક પાછળ મોઢા અને નાકની અંદર રૂમાલ હતા. તેમજ મુંબ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ તે પાંચેય રૂમાલ જોયા હતા. આ રૂમાલોને રોલ કરીને માસ્ક પાછળ રાખવામાં આવ્યા હતા. અધિકારીઓના કહેવા પ્રમાણે તે રૂમાલ બાંધેલા ન હતા પરંતુ તેમના મોઢામાં હતા માં ઠુંસેલા હતા. તે રૂમાલમાં ક્લોરોફોર્મ હોવાને કારણે ગૂંગળામણથી મનસુખ હિરેનનું મોત થયું હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ છે. આ કારણે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનસુખના પરિવારજનોએ પોલીસ ઓફિસર વાજે પર હત્યાનો આરોપ લગાવ્યો હતો અને હવે એનઆઈએ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.