- ૧૦ જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત
- વિકાસના કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરશે
- ૧૨ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની કરશે મંગળા આરતી
ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હાલના કાર્યક્રમ મુજબ અમિત શાહ ૧૨ જુલાઈને બદલે ૧૦ જુલાઈના રોજ અમદાવાદ આવવાના છે. 10 તારીખે સાંજે અમિત શાહ અમદાવાદ આવી પહોચશે. ત્યારબાદ 11 તારીખે બપોરે 4 કલાકે સાણંદ APMC ખાતે લોકાર્પણ અને ખાત મુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. તે ઉપરાંત સાણંદ બાવળા તાલુકાના 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું પણ લોકાર્પણ કરશે. તે બાદ અષાઢી બીજના દિવસે એટલે કે 12 તારીખે પરિવાર સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરશે તેમજ મંગળા આરતીમાં પણ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે રથયાત્રાના દિવસે અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં હાજર રહે છે.